તેમના ઘરે શિશિરની સવારના આછા તડકામાં રવીન્દ્રનાથનું પઠન કરતા ભોળભાઈને જોઈને આપણને થશે કે આપણે બંગબંધુને સાંભળી રહ્યા છીએ કે શું? ભોળાભાઈ પટેલ એટલે આપણી ભાષાના સમર્થ લલિતનિબંધકાર, પ્રવાસલેખક, અભ્યાસી વિવેચક, ઉત્તમ અનુવાદક, રવીન્દ્રનાથના, હિન્દી લેખક અજ્ઞેયજીના તથા આપણા કવિ ઉમાશંકરના અઠંગ અભ્યાસી અને અનુરાગી એવા ભોળાભાઈ. એમણે સર્જનાત્મક લેખન પ્રમાણમાં મોડું, ઉત્તરવયે શરૂ કર્યું પણ તે એક મેચ્યોરિટી-પરિપક્વતા સાથે આવ્યું. આજની આ મુલાકાતનો હેતુ એમના જીવન તથા સર્જનના વિહંગાવલોકન સાથે તેમાં કંઈક અવગાહન કરવાનો પણ છે.
— યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવે(જ. 24 માર્ચ 1954) : ‘જાતિસ્મર'(1992)ની દીર્ઘ અછાંદસ કાવ્યકૃતિઓમાંની સર્જકતાથી વિશેષ ધ્યાન ખેંચનાર યજ્ઞેશ દવેએ ‘જળની આંખે'(1985)થી ‘ગંધમંજૂષા'(2015) સુધીના ચાર સંગ્રહો આપ્યા છે એમાં મનુષ્યચેતના વ્યાપક ફલક પર અભિવ્યક્ત થઈ છે અને કલ્પન-પ્રવર્તન તાજગીવાળું બન્યું છે. કવિતા ઉપરાંત એમણે લલિત નિબંધો લખ્યા છે એનાં ‘અરૂપસાગરે રૂપરતન'(1998)થી ‘પવન વિદેહી'(2015) સુધીનાં 4 પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં વિસ્મય અને જિજ્ઞાસાનાં રૂપો ઉપરાંત પંખી-વનસ્પતિ-જગતનું સંવેદ્ય રૂપ પણ આલેખન પામ્યું છે. એની પાછળ યજ્ઞેશની સૃષ્ટિવિજ્ઞાનમાંની અધ્યયન-જિજ્ઞાસા પણ કારણભૂત છે. – વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એમણે Ecologyમાં સંશોધન-પદવી(Ph.D.) મેળવેલી છે.
એ ઉપરાંત બાળકો માટેના સાહિત્યની બે પુિસ્તકાઓ તથા ‘જાપાનીઝ હાઈકુ’ના અનુવાદનું પુસ્તક(2002) પણ એમણે આપ્યાં છે. યજ્ઞેશ દવે ઑલ ઇન્ડિયા રેડીઓમાંની લાંબી કારકિર્દી પછી સ્ટેશન ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા છે.
(પરિચય – રમણ સોની)
યજ્ઞેશ દવે રચિત અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
ઇબુક
આમંત્રિત
-
ઇબુક
રાજેશ પંડ્યાની કવિતા
-
-
-
-
ઇબુક
પ્રતિસાદ
-
-
-
-
-
-
-
-
ઇબુક
ભગવાનની વાતો