યોગેશ જોષીએ વાર્તાકાર તરીકે રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ અને સુરેશ જોષીના સંસ્કાર આત્મસાત કર્યા છે. જે સમયે મોટા ભાગના વાર્તાકારો કાવ્યમય ગદ્યમાં આધુનિક વાર્તા લખતા એ સમયે યોગેશ જોષીએ લોકબોલીનો વિનિયોગ કરીને ‘ગંગાબા’ તથા ‘ચંદરવો’ જેવી કલાત્મક વાર્તાઓ આપી. અનુઆધુનિક વાર્તાઓ લખાતી એ સમયે આ વાર્તાકારે ફૅન્ટેસીનો વિનિયોગ કરીને ‘ગતિ’ અને ‘આરોહણ’ જેવી વાર્તાઓ આપી. આ વાર્તાકાર પાસેથી ‘બડી દૂર નગરી’ તથા ‘આસ્થા’ જેવી દલિત વાર્તાઓ પણ મળી છે.
આ વાર્તાકારનું વિષયવૈવિધ્ય તથા ભાષાકર્મનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ વાર્તાકારે સુંદર ચરિત્ર નિબંધો પણ આપ્યાં છે. ચરિત્ર નિબંધલેખનનો લાભ એમની વાર્તાઓને પણ મળ્યો છે. આ રેખાચિત્રકારે ઝીણી ઝીણી રેખાઓ થકી વાર્તાનાં પાત્રોને જીવતાં-ધબકતાં કર્યાં છે. આશા છે સહ્રદય ભાવકો તથા અભ્યાસીઓને આ ઈ-પ્રકાશનમાં રસ પડશે.
–ઊર્મિલા ઠાકર
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
યોગેશ જોષી રચિત અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
-
ઇબુક
એકોત્તરશતી
-
-
-
-
-
-
-
-
-
-
-