Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા

ગિરીશ ચૌધરી


વિભાગ : કવિતા

આ અછાંદસ કવિતા પણ ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે. ગુજરાતી કવિતામાં છંદોબદ્ધ દીર્ઘકાવ્યો મળે છે. એમ અછાંદાસ (લયમુક્ત અને મુક્તલયની કવિતા)માં પણ દીર્ઘકાવ્યો મળે છે. આ ડિજિટલ સંપાદનમાં ‘અછાંદસ’ ઊર્મિકાવ્યો સમાવ્યાં છે.

અનુગાંધીયુગ અને એ પછીના કાળમાં ‘અછાંદસ’ કવિતા વધુ ધ્યાન ખેંચે છે. છેક ૧૯૫૦ આસપાસથી લઈને છેક ૨૦૨૨ સુધીના ‘અછાંદસ’ કાવ્યોમાંથી અહીં (૧૦૦-૧૨૫) સો-સવાસોથી વધુ કાવ્યો સમાવ્યાં છે. હજી વધુ કાવ્યો સુધી જઈ શકાય... પણ ક્યાંક તો અટકવું પડે!

સંપાદનના આરંભે ‘અછંદાસ’ કવિતાના રૂપ-સ્વરૂપને સમજવાનો અને એ કવિતાપ્રવાહનો પરિચય આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. એટલે એ વિશે વિશેષ કહેવાનું થતું નથી.

સૌ કવિઓએ (એમનાં સ્વજનોએ) કાવ્યકૃતિઓ લેવાની-સમાવવાની સંમતિ આપી છે – એ સહુનો આભાર.

– સંપાદકો

 

 

 

ગિરીશ ચૌધરી

ગિરીશ ચૌધરી

વધુ જાણો

ગિરીશ ચૌધરી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...